અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Buy Travel Insurance In Advance Or After Booking
જાન્યુઆરી 28, 2025

તમારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઍડવાન્સમાં કે બુકિંગ પછી ખરીદવો જોઈએ?

વિચારી રહ્યા છો કે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શું છે? ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એ એક એવા મિત્રની જેવો છે, જે તમને જરૂર પડે ત્યારે ચોક્કસપણે મદદ કરે છે. મોટાભાગના પરિવારો અને ટૂર ઑપરેટરો મુસાફરી, પ્રવાસની માર્ગદર્શિકા અને ખર્ચ વિશે ઘણું પ્લાન કરે છે. જો તેઓ માત્ર થોડું વધુ સંશોધન કરે તો તેઓને ખ્યાલ આવશે કે, જો કોઈ અનિયોજિત ઘટના બને, તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તેમને વધુ પૈસા બચાવવામાં મદદ કરી શકે છે. મુસાફરી માટેના મોટાભાગના ઇન્શ્યોરન્સ પ્લાનમાં તબીબી ખર્ચ, કૅન્સલેશન ખર્ચ, ઇમરજન્સી કૅશ જરૂરિયાત, ડિપોર્ટેશન ખર્ચ અને અન્ય તમામ ખર્ચને આવરી લેવામાં આવે છે. પ્રશ્ન એ છે કે - તમારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેટલો વહેલો ખરીદવો જોઈએ? શું તે ખરીદવાનો કોઈ યોગ્ય સમય છે? જો ટિકિટ બુક કર્યા પછી તમે તે ખરીદો છો તો તમને વળતર મળશે? જવાબો માટે આગળ વાંચો!

તમારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્યારે ખરીદવો જોઈએ?

સામાન્ય રીતે, લોકો તેમની મુસાફરી માટેની ફ્લાઇટ્સ, હોટલ અને અન્ય બુકિંગ કરાવ્યા બાદ થોડા સમય પછી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતા હોય છે. પ્રશ્ન એ છે કે - તમે 'થોડો' કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો?

1. વહેલું બુકિંગ અને બુકિંગની તારીખ અને મુસાફરીની તારીખ વચ્ચે લાંબો સમય

જવાબનો આધાર તમે જે દિવસ તમામ બુકિંગ કરાવ્યું છે તે દિવસ અને તમે જે દિવસે મુસાફરી કરવાના છો તેની વચ્ચેના અંતર પર છે. જો તમે થોડા મહિના પહેલા ટ્રાવેલ બુકિંગ કરાવી રહ્યા છો, તો તમે થોડા સમય રાહ જોયા બાદ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બુક કરાવી શકો છો. આ સમજદારીભર્યું છે કારણ કે વહેલું કરાવેલું બુકિંગ તમને ભારે દંડ ચૂકવ્યા વિના વહેલા કૅન્સલેશનનો લાભ પણ આપે છે. તેથી, તમે આ ચોક્કસ પરિસ્થિતિમાં ઇન્શ્યોરન્સ વગર ચલાવી શકો છો.

2. મોડું બુકિંગ અને બુકિંગની તારીખ તથા મુસાફરીની તારીખ વચ્ચે ઓછો સમય

આપણામાંથી મોટાભાગના લોકો ટ્રાવેલ પ્લાન ઘણાં મહિના પહેલાં બુક કરાવતાં નથી. આપણે વિચાર તો વહેલો કરેલો હોઈ શકે છે, પરંતુ આપણે બુકિંગ પ્રસ્થાનની તારીખ નજીક આવે ત્યારે કરાવીએ છીએ. આ કિસ્સામાં, ટિકિટ અને રહેઠાણ બુક કરાવ્યાના થોડા જ દિવસોમાં શક્ય હોય એટલી વહેલી તકે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવું સમજદારીભર્યું છે. આમ કરવાનું કારણ ખૂબ સરળ છે - તમને પ્રી-ડિપાર્ચર કવરેજના લાભો મળે છે. તમારે ઉતાવળે ખરીદી કરતાં પહેલાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સની તુલના કરવી જોઈએ કારણ કે આ તમારી તમામ જરૂરીને આવરી લેતા અને વધારાના લાભો ધરાવતા શ્રેષ્ઠ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવામાં મદદ કરશે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં પણ શામેલ છે ટ્રિપ કૅન્સલેશન કલમો. જો પૉલિસી ડૉક્યૂમેન્ટમાં જણાવેલ કારણોસર દુર્ભાગ્યે તમારી યાત્રા કૅન્સલ કરવામાં આવે છે, તો તમને ટ્રિપ કૅન્સલ કરાવીને પૂરતું વળતર મળી શકે છે. જવાબનો આધાર તમે કેટલી વાર મુસાફરી કરવાની યોજના બનાવો છો તેના પર પણ રાખે છે:
  1. એક વર્ષમાં એકથી વધુ મુસાફરીઓ કરવાની યોજના ધરાવતા લોકો માટે, 90 ને કવર કરતા એક પ્લાનમાં એકથી વધુ મુસાફરીઓ શામેલ કરવામાં આવે છે, જે એક વર્ષ માટે લંબાવવામાં આવે છે, તે મહત્તમ લાભ પ્રદાન કરશે.
  2. એક વર્ષમાં માત્ર એક અથવા બે વાર મુસાફરી કરનાર લોકો માટે, એક ટ્રિપને કવર કરતા વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પર્યાપ્ત રહેશે.
વધુ વાંચો: શા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારા પ્રવાસના કાર્યક્રમનો એક આવશ્યક ભાગ હોવો જોઈએ

શું તમારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વહેલો ખરીદવો જોઈએ?

જો તમે મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો કદાચ તમને સાહજિક ના લાગે કે તમારે ખરીદવો જોઈએ એક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ. તેને એક ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સમજીએ: પ્રિયંકા અને તેમના પતિ મયંક છેલ્લા એક વર્ષથી પ્રાગની મુસાફરીની યોજના બનાવી રહ્યા હતા. ડિસેમ્બરના અંત સુધીમાં બંને તેમની ઑફિસમાંથી રજા લેવા માટે સંમત થયા અને તેમણે ટ્રિપ માટે પૂરતા પૈસા પણ બચાવ્યા હતા. સંબંધમાં પહેલ તેમણે કરી હોવાથી, તમામ બુકિંગ પ્રિયંકાએ કરાવ્યું હતું - યોગ્ય સાઇટ-સીઇંગ ટૂર્સ, હોટલ, ફ્લાઇટ અને કૅબ. તેઓ પ્લાનિંગથી ખુશ હતા! પ્રસ્થાનની તારીખ નજીક આવતા મયંકે તેમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા કહ્યું. પ્રિયંકાને ખાતરી હતી કે તેઓ ખરેખર જશે, અને નીકળવાના થોડા દિવસ પહેલાં તેઓ ઇન્શ્યોરન્સ ખરીદી જ શકે છે. નીકળવાના બે દિવસ પહેલાં પ્રિયંકાની સૌથી મોટા પ્રોજેક્ટમાં નિમણૂંક કરવામાં આવી. દિવસના અંતે ફાઇલ તેમના ડેસ્ક પર આવી, અને તેઓ એ તકને નકારી શક્યા નહીં. તેઓ ઘરે આવી, અને મયંક તેમની પ્રોફેશનલ કમિટમેન્ટ માટે ખૂબ જ સહાયક હતો. પરંતુ, તેમણે જેવું તમામ બુકિંગ કૅન્સલ કરવાનું શરૂ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તમામ નિ:શુલ્ક કૅન્સલેશનની તારીખ ઘણાં સમય પહેલાં વિતી ચૂકી હતી. તેમણે છ આંકડાઓમાં દંડની ચુકવણી કરવી પડી. શું કોઈ રીતે પ્રિયંકા આ ખર્ચને ટાળી શક્યા હોત? હા. તેઓ બુકિંગ કર્યા પછી તરત જ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શક્યા હોત. ઘણી ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ટ્રિપ કૅન્સલ કરવાના શક્ય કારણો તરીકે કામકાજને લગતા કમિટમેન્ટને કવર કરે છે. આ પણ વાંચો: તમારી ફ્લાઇટની ટિકિટ બુક કર્યા પછી તરત જ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનો શ્રેષ્ઠ લાભ

તારણ

Travel insurance should ideally be purchased immediately after making travel bookings, especially if the trip is planned close to the departure date. This ensures pre-departure coverage and reimbursement for unforeseen cancellations. For long-gap bookings, early cancellation policies might reduce the urgency, but insurance is still crucial for unexpected scenarios. Frequent travelers benefit from annual plans, while occasional travelers can opt for single-trip coverage. Timely travel insurance safeguards against hefty penalties and ensures financial security in unforeseen circumstances.

વારંવાર પૂછાતા પ્રશ્નો

1. શું તમે બુકિંગ પછી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો?

હા. મોટાભાગના કિસ્સાઓમાં, બુકિંગ કર્યા પછી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવામાં આવે છે. આનાથી તમને તમારે જરૂરી કવરેજની મર્યાદા અને તમારી પૉલિસીમાં શામેલ કોઈપણ ઍડ-ઑન વિશે સ્પષ્ટ ખ્યાલ આવશે.

2. શું તમે બુકિંગ પછી ટ્રિપ કૅન્સલેશન ઇન્શ્યોરન્સ મેળવી શકો છો?

હા. જો તમારી પૉલિસી મુજબ કૅન્સલેશનનું કારણ સ્વીકાર્ય છે, તો તેને ધ્યાનમાં લેવામાં આવશે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે તમારી યાત્રાને બચાવી શકે છે તે વિશે વધુ જાણવા માટે બજાજ આલિયાન્ઝ બ્લૉગ જુઓ.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે